અભિસન્ધાય તુ ફલં દમ્ભાર્થમપિ ચૈવ યત્ ।
ઇજ્યતે ભરતશ્રેષ્ઠ તં યજ્ઞં વિદ્ધિ રાજસમ્ ॥ ૧૨॥
અભિસન્ધાય—ના દ્વારા પ્રેરિત; તુ—પરંતુ; ફલમ્—પરિણામ; દમ્ભ—ઘમંડ; અર્થમ્—ને માટે; અપિ—પણ; ચ—અને; એવ—નિશ્ચિતરૂપે; યત્—જે; ઈજ્યતે—કરવામાં આવે; ભરત-શ્રેષ્ઠ; અર્જુન, ભરતવંશમાં શ્રેષ્ઠ; તમ્—તે; યજ્ઞમ્—યજ્ઞ; વિદ્ધિ—જાણ; રાજસમ્—રજોગુણી.
BG 17.12: હે ભરત શ્રેષ્ઠ, જે યજ્ઞ સાંસારિક લાભાર્થે અથવા તો આડંબરના ઉદ્દેશ્યથી કરવામાં આવે છે તેને રજોગુણી યજ્ઞ જાણ.
યજ્ઞ એ ભગવાન સાથેના વેપારનું રૂપ ધારણ કરે છે, જયારે તેનું અનુષ્ઠાન અતિ ધૂમધામથી કરવામાં આવે છે, કારણ કે તેની પાછળનો ઉદ્દેશ્ય તો સ્વાર્થયુક્ત જ હોય છે કે, “મને આનું શું ફળ પ્રાપ્ત થશે?” વિશુદ્ધ ભક્તિ એ છે કે જેમાં વ્યક્તિ કોઈપણ ફળની અપેક્ષા ન રાખે. શ્રીકૃષ્ણ કહે છે કે ભલે યજ્ઞ ભવ્ય રીતે સંપન્ન કરવામાં આવે, પરંતુ જો તે પ્રતિષ્ઠા, મોટાઈ ઈત્યાદિ જેવા ફળોની અપેક્ષા સાથે થયો હોય તો તે રજોગુણી યજ્ઞ છે.
અભિસન્ધાય તુ ફલં દમ્ભાર્થમપિ ચૈવ યત્ ।
ઇજ્યતે ભરતશ્રેષ્ઠ તં યજ્ઞં વિદ્ધિ રાજસમ્ ॥ ૧૨॥
હે ભરત શ્રેષ્ઠ, જે યજ્ઞ સાંસારિક લાભાર્થે અથવા તો આડંબરના ઉદ્દેશ્યથી કરવામાં આવે છે તેને રજોગુણી યજ્ઞ જાણ.
Sign in to save your favorite verses.
Sign Inપવિત્ર ભગવદ્ ગીતાના શાશ્વત પ્રેરણાદાયક જ્ઞાનથી તમારો દિવસ શરૂ કરો, જે સીધું તમારા ઈમેઇલ પર પહોંચે છે!
Welcome 🙏
Here's what you've unlocked
Bookmarks
Save verses for quick return
Notes
Write your own reflections
Progress
Track all 18 chapters
Verse of the Day
A new shloka in your inbox daily