કર્મણો હ્યપિ બોદ્ધવ્યં બોદ્ધવ્યં ચ વિકર્મણઃ ।
અકર્મણશ્ચ બોદ્ધવ્યં ગહના કર્મણો ગતિઃ ॥ ૧૭॥
કર્મણ:—સૂચિત કર્મો; હિ—નિશ્ચિત; અપિ—પણ; બોદ્ધવ્યમ્—જાણવું જોઈએ; બોદ્ધવ્યમ્—સમજવું જોઈએ; ચ—અને; વિકર્મણ:—નિષિદ્ધ કર્મો; અકર્મણ:—અકર્મ; ચ—અને; બોદ્ધવ્યમ્—સમજવું જોઈએ; ગહના—ગહન; કર્મણા:—કર્મની; ગતિ:—ગતિ.
BG 4.17: તારે ત્રણેય કર્મો—સૂચિત કર્મ, નિષિદ્ધ કર્મ અને અકર્મ—ની પ્રકૃતિ સમજવી જ જોઈએ. આ અંગેનું સત્ય ગહન અને સમજવામાં કઠિન છે.
શ્રીકૃષ્ણ દ્વારા કર્મને ત્રણ શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે—કર્મ, વિકર્મ (નિષિદ્ધ કર્મ) અને અકર્મ (નિષ્ક્રિયતા).
કર્મ. કર્મ એ શુભ કાર્યો છે, જે શાસ્ત્રો દ્વારા ઇન્દ્રિયોના નિયમન તથા મનના શુદ્ધિકરણ માટે સૂચિત કરવામાં આવ્યા છે.
નિષિદ્ધ કર્મ. વિકર્મ એ અમાંગલિક કાર્યો છે, જે શાસ્ત્રો દ્વારા વર્જિત છે કારણ કે, તે હાનિકારક છે અને પરિણામે આત્માનું પતન થાય છે.
અકર્મ. અકર્મ એ ફળમાં આસક્તિ રાખ્યા વિના કેવળ ભગવાનના સુખ માટે કરવામાં આવતું કાર્ય છે. ન તો તેની કોઈ કાર્મિક પ્રતિક્રિયા હોય છે કે ન તો તેને કારણે આત્મા બંધનમાં ફસાય છે.
કર્મણો હ્યપિ બોદ્ધવ્યં બોદ્ધવ્યં ચ વિકર્મણઃ ।
અકર્મણશ્ચ બોદ્ધવ્યં ગહના કર્મણો ગતિઃ ॥ ૧૭॥
તારે ત્રણેય કર્મો—સૂચિત કર્મ, નિષિદ્ધ કર્મ અને અકર્મ—ની પ્રકૃતિ સમજવી જ જોઈએ. આ અંગેનું સત્ય ગહન અને સમજવામાં કઠિન છે.
Sign in to save your favorite verses.
Sign In
તમે શોધી રહેલાં જ્ઞાન સુધી સીધા પહોંચો
પવિત્ર ભગવદ્ ગીતાના શાશ્વત પ્રેરણાદાયક જ્ઞાનથી તમારો દિવસ શરૂ કરો, જે સીધું તમારા ઈમેઇલ પર પહોંચે છે!
Welcome 🙏
Here's what you've unlocked
Bookmarks
Save verses for quick return
Notes
Write your own reflections
Progress
Track all 18 chapters
Verse of the Day
A new shloka in your inbox daily