અર્જુન ઉવાચ ।
અપરં ભવતો જન્મ પરં જન્મ વિવસ્વતઃ ।
કથમેતદ્વિજાનીયાં ત્વમાદૌ પ્રોક્તવાનિતિ ॥ ૪॥
અર્જુન: ઉવાચ—અર્જુને કહ્યું; અપરમ્—પાછળથી; ભવત:—આપનો; જન્મ:—જન્મ; પરમ્—પહેલાં; જન્મ—જન્મ; વિવસ્વત:—વિવસ્વાન, સૂર્યદેવનો; કથમ્—કેવી રીતે; એતત્—આ; વિજાનીયામ્—હું જાણું; ત્વમ્—તું; આદૌ—પ્રારંભમાં; પ્રોક્તવાન્—ઉપદેશ આપ્યો; ઈતિ—એ રીતે.
BG 4.4: અર્જુને કહ્યું: આપ વિવસ્વાનથી ઘણા સમય પશ્ચાત્ જનમ્યા છો. હું કેવી રીતે સમજું કે પ્રારંભમાં આપે આ વિજ્ઞાનનો ઉપદેશ તેમને આપ્યો હતો?
Start your day with a nugget of timeless inspiring wisdom from the Holy Bhagavad Gita delivered straight to your email!
શ્રી કૃષ્ણના કથનમાંની ઘટનાઓની આભાસી વિસંગતતાથી અર્જુન ગૂંચવાઈ ગયો. સૂર્યદેવ તો સૃષ્ટિના પ્રારંભથી અસ્તિત્વ ધરાવે છે, જયારે શ્રી કૃષ્ણ તો આ વિશ્વમાં હજી હમણાં જન્મ્યાં છે. જો શ્રી કૃષ્ણ વાસુદેવ અને દેવકીનાં પુત્ર છે, તો તેમણે ‘આ વિજ્ઞાન વિવસ્વાનને શીખવ્યું’ એ વાક્ય અર્જુનને અસંબદ્ધ પ્રતીત થાય છે. તેથી તે આ અંગે પૃચ્છા કરે છે. અર્જુનનો આ પ્રશ્ન ભગવાનના દિવ્ય અવતરણની વિભાવનાના વર્ણનનું આહ્વાન કરે છે અને શ્રી કૃષ્ણ આ અંગે આગામી શ્લોકોમાં પ્રત્યુત્તર આપે છે.